પંચમહાલ જિલ્લામાં તા.13 ના રોજ કોવિડ-19 સંક્રમણના નવા 7 કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 3885 થવા પામી છે.11 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી 66 થઈ છે.જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાં 5 કેસો મળી આવ્યા છે.
શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2843 કેસ નોંધાયા છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 2 કેસ મળી આવ્યા છે.કાલોલ ગ્રામ્ય-1 કેસ અને શહેરા ગ્રામ્ય-1 કેસ મળી આવ્યા છે.ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1042 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 11 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3680 થવા પામી છે.જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 66 થઈ છે.જેમની સારવાર ચાલી રહી છે.